Aug 13, 2016

एक कटोरी चावल से ठीक होगा आपका बारिश में भीगा मोबाइल फोन



     


इस प्यार के मौसम में आप भी चुन सकते हैं अपना हमसफर, आज ही रजिस्टर करें Shaadi.com पर
नई दिल्ली। बारिश के मौसम में कई बार ऎसा होता है कि आपका मोबाइल फोन पानी में भीग जाता है, ऎसे में उसके खराब होने के चांस बढ़ जाते हैं। लेकिन अब आपको चिंता करने की जरूरत नहीं, क्योंकि हम आपको बता रहे हैं कुछ ऎसे आसान से टिप्स जिन्हें अपना कर आप बारिश में भीगे फोन को खराब होने से बचा सकते हैं। तो जानिए....






1. फोन से बैटरी और ऎसेसरीज को निकाल कर साफ करें
जब आपका मोबाइल फोन पानी में भीग गया तो सबसे पहले से पावर बटन से ऑफ करके बैटरी निकाल दें। क्योंकि फोन के अन्दर पानी रहने से शॉट सर्किट भी हो सकता है, इसलिए सबसे पहले उसकी बैटरी को निकाल दें। इसके बाद फोन की अन्य एसेसरीज जैसे सिम कार्ड, मेमोरी कार्ड आदि को निकाल कर अलग कर दें। इसके बाद फोन, बैटरी और एसेसरीज को टिशू पेपर अथवा अखबार से साफ करें। ऎसा करने पर उनसे से पानी और नमी खत्म हो जाएंगें। यदि आपके फोन में बैटरी नॉन रिमेवेबल है जैसे आईफोन अथवा नोकिया लूमिया या फिर अन्य फोन तो पावर बटन को लंबा प्रेस करके फोन को डायरेक्ट ऑफ कर दें।






2. चावल अथवा सिलिका जेल पैक का इस्तेमाल
चावल जहां खाने के काम में लिए जाते हैं वहीं ये नमी को भी तेजी से सुखाने का काम करते हैं। जब आप अपने फोन और उसमें लगी एसेसरीज को टिशू पेपर आदि से साफ कर लें तो उन्हें सूखे चावल में दबाकर किसी बर्तन में 24 घंटे तक रख दें। ऎसा करने पर एसेसरीज में मौजूद नमी पूरी तरह खतम हो जाएगी। इसके अलावा आप सिलिका जेल पैक का भी इस्तेमाल कर सकते हैं। यह चावल की तुलना में तेजी से नमी को सोखता है। भीगे हुए फोन और ऎसेसरीज को सिलिका जेल पैक में 24 घंटे तक रखें। इसके बाद फोन को इस्तेमाल करें।






3. हल्की गर्म हवा का करें इस्तेमाल
पानी में भीग मोबाइल फोन और उसकी एक्सेसरीज की नमी सूखने के बाद आप उस पर गर्म हवा का भी इस्तेमाल कर सकते हैं। इसके लिए आप हेयर ड्रायर, ब्वॉयलर, रूम हीटर आदि काम में ले सकते हैं। हालांकि इनका इस्तेमाल थोड़ा दूर से करें।







4. फोन का इस्तेमाल और टेस्ट
उपरोक्त सभी प्रोसेस से गुजरने के बाद आपका फोन पूरी तरह से ठीक हो जाएगा। इसके बाद आप उसका इस्तेमाल कर सकते हैं। इस्तेमाल के दौरान टचस्क्रीन, बटन, हेडफोन, स्पीकर, माइक का प्रयोग करें। यदि सब कुछ ठीक चल रहा है तो आपको फोन पूरी तरह से सही है, यदि इनमें से कुछ भी काम नहीं कर रहा तो आप उसें सर्विस सेंटर पर ले जा सकते हैं।



5. ऎसा बिल्कुल नहीं करें
यदि आपका फोन पानी में भीग गया है तो सीधे ही उसें ड्रायर से न सुखाएं, क्योंकि वह ज्यादा गर्म हवा फेंकता है ऎसे में फोन में लगे सर्किट पिघल सकते हैं। जब तक फोन पूरी तरह से न सूख जाएं तब तक इस्तेमाल नहीं करें।

Aug 7, 2016

આદિવાસી


આદિ કાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે કૂકણા, ધોડિયા, ગામિત, ચૌધરી, વસાવા, ભીલ, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.
આદિવાસી સમાજ માતૃપ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોડી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે.
જેમાં છોકરો તેનાં પિતા અને કેટલાક સંબંધીઓ કન્યાને જોવા જાય છે. જો છોકરાને કન્યા ગમી જાય તો, પછી છોકરા તરફથી કન્યાને આપવામાં આવતા દહેજની રકમ નક્કી થાય છે. જો બંન્ને પક્ષે બધુ માન્ય થાય તો "પિયાણ દિવસ"(સગાઇ)નક્કી કરવામાં આવે છે. અને તે દિવસે લગ્નની તિથિ નક્કી કરાય છે.અને તે દિવસે કન્યા જાન લઇને વરના ઘરે પરણવા જાય છે. સાંજ આથમ્યા બાદ કન્યાને માનભેર મંડપમાં લાવવામાં આવે છે. કન્યાને જમાડતા પહેલા તેની થાળીમાં વરપક્ષ તરફથી સવા રૂપિયો મુકવામાં આવે છે. અને ત્યારપછી જ જમણ ચાલુ થાય છે. જમણ પછી રાતભર નાચગાન ની મહેફીલ જામે છે નેમાં વર અને કન્યાને તેના મામા ખભા પર ઉંચકીને નચાવે છે તથા તેમનાં ભાઈઓ તથા બહેનો વર અને કન્યાને બળદગાડાની પાંગરી પર બેસીને નચાવે છે, અને સવારે અગ્નિવેદી પર સાત ફેરા ફરી છેડા બાંધવામા આવે છે. અને સવારે કન્યા પક્ષ કન્યાને મુકીને ઘરે જાય છે, લગ્નનાં પાંચ દિવસ પછી કન્યા થોડા દિવસ તેનાં પિયર રહેવા આવે છે.
અન્ય સંસ્કૃતિઓની જેમ જ્યારે પહેલા બાળકનો જન્મ થવાનો હોય ત્યારે કન્યા તેના પિયર જાય છે અને ત્યાં બાળકને જન્મ આપે છે. જન્મ પછી બાળક અને માતા સવા મહીના સુધી પિયરમાં રહે છે. એક મહીના બાદ બાળકના મામા બાળકના માથાનાં વાળ કાપે છે, તેનાં બદલામાં વરપક્ષ તરફથી તેમને ઉપહાર આપવો પડે છે.
આદિવાસીઓમા જ્યારે મરણ થાય છે ત્યારે સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરીને અથવા દાટીને શબ ને મુકિત અપાય છે . સ્ત્રીઓ સ્મશાનમાં આવી શકતી નથી તેથી તે સ્મશાનની બહાર ઉભી રહીને તેને વિદાય આપે છે. શબ ને તેનાં મૂળ દાગીના અને પસંદગીની વસ્તુઓ સાથે મુકિત અપાય છે, કારણ કે તેઓ માને છે કે પરાલૌકીક જીવનમાં તેમને આ વસ્તુઓની જરૂર પડશે, અને ત્યાર બાદ તેનો ખાટલો પણ ઉંધો વાળી સ્મશાનમાં મુકી આવવામાં આવે છે. મરણ પ્રક્રિયા સમાપ્ત થયા બાદ સ્નાન કરીને ઘરમાં પ્રવેશ કરાય છે. મરણનાં દિવસે ઘરમાં રસોઇ થતી નથી. મરણનાં ૧૨ અથવા ૪૦ દિવસ પછી તેની શોકસભા રખાય છે.
આદિવાસીઓ ની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. જોકે અન્ય ભાષાઓની જેમં તેનું કોઇ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે. આમ જોઇયે તો તમામ આદિવાસી બોલીઓ એકંદરે સાંભળવામાં સમાન જ લાગે છે. આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે. આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, ગામીત બોલી, વસાવા બોલી, કુકણા બોલી,ધોડીયા બોલી, ચૌધરી બોલી વગેરે આવે છે. આ તમામ બોલીઓમાં બહુવચન હોતુ નથી, તેમાં ઉમરમાં નાની વ્યકિત ને પણ તું અને ઉમરમાં મોટી વ્યકિત નેપણ તું કહીને બોલાવવામાં આવે છે. તે ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં ૧૨ કાળ, પુલ્લિંગ અને સ્ત્રીલીંગ, તથા ક્રિયાપદો હોય છે. આદિવાસીઓએ પણ પોતાનું એક અલાયદુ પંચાંગ બનાવ્યું છે, જેની સરખામણી આપણે આધુનિક કેલેન્ડર સાથે કરીએ તો નીચે મુજબ ના શબ્દો મળે છે.
પહેલાનાં સમયમાં જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગાયકવાડી રાજ્ય હતું ત્યારે નવસારી પ્રાંતમાં સોનગઢ-મહાલ વિસ્તારમાં ચાર ગામડાનાં ઝુમખામાં કોઇ એક ગામે અઠવાડિયામાં ચોક્કસ દિવસે સાપ્તાહિક બજાર ભરાતી હતી, અને તે બજારના દિવસને તે ગામનાં નામ પ્રમાણે નામો અપાયા હતાં જેથી નીચે મુજબનાં નામો અસ્તિત્વમાં આવ્યા.

બંધારપાડિયો, વોડિઓ - સોમવાર
અરોહાર, બાણો, બોરડી - મંગળવાર
ઉમાડિયો, માંડવિઓ - બુધવાર
દેવ ગાડિયો, ઇશરવાડિયો - ગુરૂવાર
વલોડિયો, રાયપુરીયો - શુક્રવાર
વ્યારિયો, થાવરવાર - શનીવાર
ઈતવાર કે દીતવાર - રવિવાર

Aug 5, 2016